(૧)
અન્યના બાંધેલા માળખામાં કવિતા પૂરવી ગમતી નથી 3
અમે તો ડોલન શૈલીના અનુરાગી દલપત છંદબંધી ગમતી નથી
(૨)
અરે! મન ઝંખેલુ દેશથી પરદેશ ક્યારે જઈશ!
માડી, હું તો ત્રણ વરસમાં પછો આવી જઈશ 19
વર્ષો પછી,
ગયા ગોવિંદ ગોકુળ છોડી માયાનગરી મહીશ
હાં, ફરી ન આવ્યા, માને મનાવી એ જ દિલાસો દઈશ
(૩)
ઇશ્વર આપે અમે ન લઈએ, 27
માનવ માંગે અમે ન દઈએ.
સપનાના સોદાગર તોયે
સર્વ સમેટી રહીયે.
‘મારું મારું’ કરતાં કરતાં જીવન જીવી જઈએ.
(૪)
અગણિત અણજાણ્યા મનખા ના બોલે,ના અટકે 26
જો જાણીતો જાનમ ના બોલે ના અટકે,તો ખટકે
ચિત્તના ચકડોળે એ અવળો થઈ અટકે
ને રુદિયાની ચાદરમાં ચીટ્ટી સો ચટકે
(૫)
ચિત્તની ચંચળતા
મનની ભાગદોડ
અતૂટ શાંત કોલાહલ
(૬)
કાવ્યોમાં ભાવભીની લાગણીનુ નર્તન dance
સત્ય શિવમ ચેતનાનુ નૃત્યોમાં દર્શન
(૭)
હે સુજન! ના હારતોરા, એક ફૂલથી પણ ચાલશે,
નહીં ગુણગાન દંભીના, ભીની નજર એક ચાલશે,
ગુરુના આશ વચનો ના, આદેશ વચનો ચાલશે,
રે ઇશ્! ના વર્ષો, બસ એક પળ નિકટ તવ ચાલશે.
(8)
હું સાધુ જેવો, મારી જરુરત અમથી આટલી 20
ચાલ્યો પ્રવાસે ત્યારે જાણ્યુ,
મારી પાળી પળોજણ કેટલી!
(૯)
વતનમાં જ્યારે કે’તા કે, “ભાવનગરના મહેતા”,
વતનવાસીઓ ઘણુંય સમજે,જરાક અમથું કહેતા.
પણ પરવતનના પરલોકી ના કેમે કાંઇ સમજતા,
થાકી હું તો બહુ સમજાવી પરિચય દેતા દેતા.
(૧૦)
સાધકનુ દિવ્યજીવન સાધનાને અર્પણ sitar
ફલશ્રૂતિ અહમ્ આશ પ્રણવને સમર્પણ
(૧૧)
સમયના વ્હેણ સાથે, આપણો વિશ્વાસ વધશે,
દયા ને સ્નેહ દેતા, આપણામા પ્રેમ વધશે,
સતત એક જ રટણ કરતા, અભ્યાસ વધશે,
કરો જો પાંચ ભેગા જણ, હવે વિખવાદ વધશે!
(૧૨)
કર્મ કરૂં અધિકારથી, નિષ્કામી કર્મ ઉમંગ. 9
તૃપ્ત અખંડ અનંતથી, નિર્મળ નરવો સંગ.
(૧૩) મૃત્યુ
સર્વનો અંત
બંધ થયેલી કીતાબ
સર્વ તર્કનો અંત
સર્વ ઈચ્છાઓનો અંત
મૌન અને શાંતિ.
(૧૪) નિદ્રા
અવળચંડી ઉંઘ ! કટાણે ઉડી જાય, ૧૮
વણનોતરી આવશે, બોલાવું નાસી જાય.