જીવનનો હેતુ
શું મારા લખવાથી કવિતાને ફેર પડશે?
શું મારા જોવાથી ફૂલોને ફેર પડશે?
શું મારા સુણવાથી સૂરોને ફેર પડશે?
શું મારી ભક્તિથી ભગવનને ફેર પડશે?
તોય કોણ મને દોરે આ અણજાણે આરે!
ને કોણ મને ખેંચે છે અંતર અંધારે!
ને કોણ મને બોલાવે શાંતિના સૂરે!
ને કોણ મને બહેકાવે ભીની સુગંધે!
હું જ એક સૂક્ષ્મ અંશ પ્રકૃત્તિ ધારાની
હું જ એક મુખ્ય અણું સર્જન કરનારાની
મારા આ જીવતરમાં સર્જકતા ભરવાની
અમૂલ આ જીવનનો રસથાળ ધરવાની


Powered By