Archive for July, 2007

અવહેલના

Posted in કાવ્યો by saryu on July 30th, 2007

         DILIP'S PAINTINGS

   બહેન,હું તો પારકા પોતાના ગણી આવી
           દિલે આશા અરમાન ભરી લાવી
                સ્નેહ તાંતણે  ભરોસે  હું ચાલી
           મારી સેંથીએ સીંદૂર ભરી મ્હાલી–બહેન

          એ મધ્યબિંદુ નાનાશા વિશ્વમાં
          એનો આવાસ અંતર વિશ્વાસમાં
             બન્યો હેતુ મારા શ્વાસોશ્વાસમાં
               છુપું આજે  આક્રંદ નિશ્વાસમાં—બહેન

           તુટ્યો નાજુક એ દોર મજધારે
             ઘણોં સાંધ્યો  સંસાર પ્રેમતારે
         ઝટકાથી તોડે મને છોડે નોધારે
         એકલી અટુલી હું કોને આધારે?—બહેન
    
       ભલે નયન રડે અણધારી આંચે
         જલે આત્મદીપ શક્તિની સાથે
        શતૅ શોધીશ હું ખોવયેલ મુજને
          સખી, તારા આ સ્મિતને સહારે—બહેન

बेबसका सहारा

बहेन मै तो पराये अपने समज आई
दिलमे  आशा अरमान  भरी   लाई
स्नेह  तांतणे  भरोसे  थमे  चलदी
मेरी  सेंथीमे  सिंदूर  भरी   म्हाली

वो  मध्यबिंदु  मेरे  छोटेसे विश्वमे
उसका  आवास  अंतर   विश्वासमे
बना  हेतु  वो  मेरे श्वासौच्छ्वासमे
छुपा आज  वो  आक्रंद  निश्वासमे

तुटा नाजुक वो दोर मजधारे
बहोत  सांधा संसार प्रेमतारे
झटकेसे तोड  मुजे छोडा नोधार
ऐकली अटुली मै किसके आधार्!

भले नयन रुए अणधारी आंचसे
जले आत्मदीप शकतिके साथमे
शर्त  ढुंढुंगी  खोइ  हुइ आपको
सखी! तेरे ये स्मितके सहारे
सखी! तेरे ये स्मितके सहारे
                सरयु परीख
       Working with victims of domestic violance (AADA),poems like this has been written.

       helping hand

sis, I accepted strangers as my own

my heart was full of hopes and dreams

I came trusting the thread of love

I enjoyed the bliss of marriage

He was center of my universe

he was staying in my inner most trust

he was the purpose of my breath

now miserable cry in my sigh

that tender string broke in the midst

couldn’t mend it with  all  the  efforts

he cut it with jurks left me sad and helpless

now all alone, whose support will I have!

let the tears flow today due to the sudden burn

but my soul lamp is shining with the inner strength

 promise, I will find my lost self respect

with the help of your sweet smile, o’sis

with the help of your sweet smile 

ઉપેક્ષા

Posted in કાવ્યો by saryu on July 15th, 2007

 ભૂલેલા  કોલ  અને  ભાવોની  ભૂલ
 નીકળેલા બોલ અને અધખીલ્યા ફૂલ
   પ્રેમનીર વિના તરસ્યા રહી જાય
   પીળા પાન પછી લીલા ના થાય


સહોદર  ને  સાથી  કે  નાનેરા બાળ
અંતરનાં  આંગણમાં   યાદોની  જાળ
     રુષ્ક શુષ્ક મોસમ જો જાય
 પીળાપાન પછી લીલા ન થાય

નાજુક  નવબંધન,  પીયુની  પ્યાસ
વાવેલી   વેલને,   માળીની   આશ
   વેલ વ્હાલપની જો એ કરમાય
  પીળા પાન પછી લીલા ના થાય

સમય  ના  સાચવ્યો, ચાલી ગઇ રાત
તુટેલા  હૈયા,  ને  વીતી   ગઇ   વાત
   બળી રાખ હવે ઇંધણ ના થાય

       પીળા પાન હવે લીલા ના થાય

—————————– 

Saahityasarita of houston

2007 ની જાન્યુઆરી બેઠકનો વિષય હતો અપેક્ષા અને ઉપેક્ષા. તેમા ઉપેક્ષા ઉપર સર્યુબેને તેમની આ કૃતી રજુ કરી હતી.કાવ્યનો મધ્યવર્તી વિચાર હતો. જતન માંગતા સબંધો કે મન કે આંગણની વેલ ઉપેક્ષા કરશો નહિ અને સમય જો વીતી ગયો તો…
તુટેલા હૈયા, ને વીતી ગઇ વાત

બળી રાખ હવે ઇંધણ ના થાય
પીળા પાન હવે લીલા ના થાય.
Entry Filed under: કાવ્ય રસાસ્વાદ, સભ્યોની રચનાઓ, સરયૂબેન પરીખ

2 Comments Add your own

·        1. વિવેક  |  February 12th, 2007 at 1:02 pmસુંદર રચના..·        2. ઊર્મિસાગર  |  February 13th, 2007 at 1:42 amVery nice poem…. congrats Saryuben!·         

રેડવુડ ફોરેસ્ટ-Redwood Forest-California

Posted in કાવ્યો by saryu on July 11th, 2007

   આજે  જોયું  કુદરત  ખોળે  મહાભવ્ય મંદિર
  અદભૂત આ અનેરુ સર્જન અજોડ સર્જનહાર

ક્યાંથી આરસ પહાણા લાવ્યા ક્યાંથી આ મીનાર!
ક્યાંનુ  સુંદર  કોતર  કામણ   ક્યાંના    આ ચીનાર!

અહો રે,  આ તો   કુદરત કર્તા   કલાકાર છે   ઇશ
ગગન   ચૂમતા   પહાડો   ફૂલો   વૃક્ષો   ચારે  દિશ

મનમંદિરમાં   શાંતિ   પામું   ઘેઘુર ઘન વનરાય
પથ્થર   લાવી   બાંધે   એવા   મંદિરનુ   શું કામ?

આરસ પથ્થર મોટું  મંદિર કકળે   મંહી ભગવન
રજ કણ  જનમાં દર્શન  થાતા  મારા પરમાત્મન

જુઓ જુઓ   કુદરતને   ખોળે    મહાભવ્ય   મંદિર
પળ પળે  એ રચી રહ્યો છે  વિશ્વ મધુવન  સુંદિર

જીવનનો હેતુ

Posted in કાવ્યો by saryu on July 10th, 2007

શું મારા લખવાથી કવિતાને  ફેર પડશે?
શું મારા  જોવાથી   ફૂલોને    ફેર   પડશે?
શું મારા   સુણવાથી   સૂરોને  ફેર  પડશે?
શું મારી ભક્તિથી ભગવનને ફેર પડશે?

તોય કોણ મને દોરે આ અણજાણે આરે!
ને   કોણ  મને   ખેંચે   છે  અંતર   અંધારે!
ને   કોણ  મને   બોલાવે     શાંતિના સૂરે!
ને   કોણ મને   બહેકાવે   ભીની   સુગંધે!

હું   જ   એક સૂક્ષ્મ  અંશ પ્રકૃત્તિ  ધારાની
હું જ એક મુખ્ય અણું સર્જન કરનારાની
મારા આ જીવતરમાં  સર્જકતા ભરવાની
અમૂલ આ જીવનનો  રસથાળ ધરવાની

અંતરશત્રુ

Posted in કાવ્યો by saryu on July 10th, 2007

જે  સમયે   આવે    અશાંતિ   ને  ક્રોધ
હર સમય માનુ  કોઇ નાખે અવરોધ
સંતની જોઉં  શાંતિ ને  આવે  વિચાર
મારા અંદરના  જ  શત્રુ આવે  બહાર

મારા સ્વજનસંગી અનેક  વિધ રિજવે
તૃષ્ણ મન પળભરમાં અકારણ પજવે
આ આપ્યુ  આ સોંપ્યુ   દીધુ ને લીધુ
અંતે મમ અંતર હતુ એટલુ જ લાધ્યુ

બ્રહ્માની   સૃષ્ટિ   હશે   સુંદર     સુલેખ
મારી   મન    સૃષ્ટિની   સર્જક   હું એક