નિર્મળતા
નિર્મળતા
ઝંખનાનાં તેજમાં જાગેલું પંખીડું,
મમતાનાં માળામાં ક્યારે સપડાયું!
આશા પતંગાની આસપાસ ઊડતું,
ચંચળ ચતુર એવું ચિત્ત ભોળવાયું.
સાત્વિક આનંદ ને ઉલ્લાસે આવર્યુ,
આંખોની આરતીની રોશનીમાં ઊજર્યું,
અસીમ અગોચર ને અંતર વિહારમાં,
કિરણોની કોરપર ભોળું હિલોળ્યુ.
ભૂલથી એ વાદળના સાળુમાં ખોવાયું,
ઘેરા ઘુમરાવામાં અંધારે લોભાયું
લાલચનાં પાણીમાં ભાવે ભીંજાયું
પછી, ખારા સમંદરના પટમાં પટકાયું
જ્યારે એને સાંભર્યુ કે ક્યાંથી એ આવ્યું’તું,
ચાંચ મહીં ચાંચ અમી અન્ન કેવું ભાવ્યું’તું,
નિઃસીમ આકાશે ફરી મુક્તિથી ઊડવાને,
આતમ કમાન, મનો તીર લક્ષ સંધાયું.
——
Nimesh Talsaniya said,
July 26, 2018 @ 5:51 am
Great Post! Thanks for sharing.
Kalpesh Shah said,
November 3, 2018 @ 7:13 am
Amazing post! Thanks for sharing this useful information.