બાંધછોડ

Posted in કાવ્યો by saryu on September 24th, 2008

                           

સરોવર છોડીને પ્યારા! ચાલને પર્વત પરે
   નવકેતન વસવા હવે જુનુ ઘર છોડવું પડે–

 સ્વપ્નને સાકાર કરવા સ્વામિનો સંગાથ હો
   માવતરના   આંગણાની   હુંફને   ખોવી પડે–

 પાઈને   પીવા  સખી!  અમીના  બે ઘુંટ હો
      વૈરના     ભારી   ભરેલા  વિષને  ધોવા પડે–

   સત્યના  સાતત્યને  આ   દંભના  દેખાવથી
      સાચને   સાંચવી   જાનમ! જૂઠ તારવવું પડે–

    મૃગજળની  મોહિનીથી  મુક્તિનુ હો ઉડ્ડયન
      માંયલી   મનજાળને   તપ કરી તોડવી પડે–

 

      ———————-

 Move from Lakes of Brightwater to the Hilly Austin

1 Comment »

  1. vijayshah said,

    September 25, 2008 @ 1:44 pm

    નવુ ઘર
    નવુ ગામ અને
    નવુ વાતાવરણ સર્વ રીતે અનુકુળ થાવ તેવી પ્રભુ પ્રાર્થના

    માંયલી મન જાળને જ્ઞાનોદ્યમથી કાપો
    અને ઉન્નતિનો માર્ગ સહજ થાય
    તે સર્વ મંથનો સહજ બને
    તેવી શુભેચ્છાઓ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment


Powered By Indic IME