મૂંઝવણ

Posted in કાવ્યો by saryu on May 15th, 2007

સખી! કેમ કરી જાણું આ મોહનની વાંસળી
       કે ખાલી કોઇ વાંસની વાસળી!
સખી! કેમ કરી જાણું આ  સર્વોત્તમ  સાધુ  
        કે  મારા સમ  કોઇ  જિજ્ઞાસુ!
સખી! કેમ કરી જાણું આ ઇશ્વરના ક્રુપાકુરુ
        કે  મનને  મનાવેલ   ગુરુ!
સખી! કેમ કરી જાણું સ્વીકારુ આ  શમણું
         કે આગળ પંથે કોઇ શરણું!
સખી! કેમ કરી જાણું આ મારગ છે સાંચો
        કે ભટકુ હું મારગ લઈ ખોટો!

 આદિ કોઈ કાળમાં બુધ્ધ અને ક્રુષ્ણા
આ કાળે ક્યાં છે મીટાવે મમ ક્ષુધ્ધા!
ભક્તિ ને શાંતિ બે સર્વ  પળે  શોધ્યા
કોણ હાથ ઝાલી લઈ જાશે અયોધ્યા
!

1 Comment »

  1. said,

    June 1, 2007 @ 4:26 pm

    very nice saryuben..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment


 Type in